તત્ત્વમસિ પદમાં સૌથી મહત્વનો શબ્દ

તત્ત્વમસિ પદમાં સૌથી મહત્વનો શબ્દ નીચે પ્રમાણે છે
ઉપરોકત દષ્ટિએ વિચારતા અહં બ્રહ્માસ્મિ- હું બ્રહ્મ જ છું એ હું અને બ્રહ્મ વચ્ચેનો સીધો કૂદકો છે. એમ અલખ ( અંતર ) ગુરુ શિષ્ય નિરંજન હું ને સમજાવતા તેઓ જણાવે છેતત્ ત્વમ અસિ = તે બ્રહ્મ તું પોતે જાતે જ છે. આ રીતે અહં અસ્મિ બ્રહ્મ – હું છું બ્રહ્મના સીધા કૂદકાને આંતર મન સાથે વાત કરતાં વચ્ચે ત્વં એ એક પુલનું કાર્ય કરે છે. અને તત્ એટલે બ્રહ્મ સુધી પહોંચાડે છે. ટુંકમાં કહીએ તો સોડહં તે હું છું નું ત્વમ્ – તું માં રૂપાંતરિકરણ ગુરુ શિષ્ય વચ્ચેનું વ્યકિત- વ્યકિત વચ્ચેનું પરસ્પર દેવો ભવ નું તાદશીકરણ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

તત્ત્વમસિ પદમાં સૌથી મહત્વનો શબ્દ પરસ્પર દેવો ભવ છે.

👏👏👏👏👏👏👏👏

ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

શુષ્ક કાષ્ઠને આણ્યાં પત્ર !થયો કેમ ઉદાસીન અત્ર ?ની સમજૂતી

શુષ્ક કાષ્ઠને આણ્યાં પત્ર !
થયો કેમ ઉદાસીન અત્ર ?
આની સમજૂતી નીચે મુજબ છે

આપણા શ્રી નૃંસિહ સરસ્વતી સ્વામી મહારાજે આખા શરીરે કોઢવાળા ભાર્ગવ ગોત્રી નરહરિને કોઢ દૂર કરવા ગાણગાપુરમાં ભીમા અમરજા સંગમ પર અૌદુંબર વૃક્ષનું સૂકુ લાકડું રોપી તેને રોજ પાણી પાવા સૂચવ્યું. બધા લોકો નવરાસનો સમય તત્વચિંતન છોડી નાદુરસ્ત સલાહ, ટીકા ટીપ્પણી કરી પોતાનું પુણ્ય ટીકા થનાર વ્યકિતને વેચવામાં ગાળવાનું પસંદ કરે છે. ( શ્રેય છોડી પ્રેય તરફ વળેલી ) આવા લોકો નરહરિને ( પોતાનું પુણ્ય વેચી ) સલાહ અને ટીકા કરવા લાગ્યા કે સૂકા મરી ગયલા લાકડાને પાન કદી ઉગવાના નથી. તું ગાંડપણ છોડી દે ફાજલ મહેનત નહીં કર. ટીકા ટીપ્પણી દ્વારા પૂર્વના પાપોનો નાશ થતાં શ્રી નૃસિંહ સરસ્વતી ગુરુ જાતે આવે છે. ગુરુ વચનમાં અતૂટ શ્રધ્ધા રાખી નરહરિ સૂકા લાકડાને પાણી સીંચી રહ્યો હતો. સિધ્ધી યોગી ગુરુનો સંકલ્પ શું ન કરે ?
યોગી ગુરુઓ આવા સમયે પુષ્ણામિ યોષધિઃ સોમો ભૂત્વા રસાત્મકઃ પોતે પરબ્રહ્મ સાથે એકરૂપ હોય,પોતાની સૂર્ય, સુષુમ્ણા અને ચંદ્ર ત્રણ નાડીમાંથી ચંદ્રનાડી ચાલુ કરી ચંદ્રલોક સાથે સંપર્ક સાધી કમંડળનું પાણી રેડી, ચંદ્રકિરણ પૃથ્વી તથા પાણીનું રસાત્મક રસાયણ બનાવી સૂકા લાકડા પર પાંદડા ઉગાડે છે. સાથે સાથે ગુરુ દ્વારા ચંદ્રલોક પર રહેલ તેના પિતૃઓ પરત્વેનો પિતૃદોષ નિવૃત થતાં તેનો આખા શરીરનો કોઢ નષ્ટ થાય છે.
આ રીતે શુષ્ક કાષ્ટને આણ્યા પત્ર એ એક હકીકત બને છે જે સિધ્ધ યોગી ગુરુઓ માટે હસ્તામલકવત્ વાત છે. ભૌતિકવાદી આને ચમત્કાર તરીકે ભલે ગણતા હોય પરંતુ સનાતન ધર્મ તેના પાયાનું કારણ આધ્યાત્મ વાદ છે એમ જણાવે છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

તપસી તત્વમસિ એ દેવ ! બોલો જય જય શ્રીગુરુદેવ ની સમજુતી

તપસી તત્વમસિ એ દેવ !
બોલો જય જય શ્રીગુરુદેવ ની સમજુતી નીચે પ્રમાણે છે.

સામાન્ય રીતે માનવી હું – મારું – મને એવું સ્વલક્ષી જીવન જીવતો હોય છે. વેદ કાળથી જ ભારતમાં ધર્મની વિશેષતા એ જ રહી છે કે વ્યકિતને ભકિત દ્વારઘ સ્વલક્ષીમાંથી તું – તારું – તને પરત્વે વિચારતો કરી તેમાંથી તેનું ઉદર્વકરણ કરી તે – તેનું – તેને તથા તેઓ – તેઓનું – તેમનું એવા સર્વલક્ષી વિચારમાં વિહાર કરતી કરવી.
વ્યકિત જયારે ચિંતન કરતી થાય ત્યારે હું માથી તું માં પ્રેવશ કરતી થાય છે. અને હું મારે માંથી તું – તારે માં પ્રવેશ કરે છે. દા.ત હું અયોગ્ય વર્તન કરતો હોઉ ત્યારે આંતર મન કરી વિચારું છું કે તું સારું કરતો નથી, તારે આમ ન કરવું જોઈએ.તું જો એના કરતા આ બીજી રીતે કરતે તો સારો ગણાતે – તારો આત્મા પ્રસન્ન રહેતે અને તને જીવન નો સાચો આનંદ મળતે.આ હું અને મને ઠપકો આપવાની પ્રક્રિયા જે મનમાં થઈ તેને હું થી છૂટો પાડી તું તરફ પ્રયાણ કરવાની આંતર મન ચિંતન પ્રક્રિયા ગણાય.
ઉપરોકત દષ્ટિએ વિચારતા અહં બ્હ્માસ્મિ હું બ્રહ્મ જ છું એ હું અને બ્રહ્મ વચ્ચેનો સીધો કૂદકો છે. એમ અલખ ( અંતર ) ગુરુ શિષ્ય નિરંજન હું ને સમજાવવા તેઓ જણાવે છે તત્ ત્વમ્ અસિ= તે બ્રહ્મ તું પોતે જાતે જ છે. આ રીતે અહં અસ્મિ બ્રહ્મ – હુું છું બ્રહ્મના સીધા કૂદકાને આંતમ મન સાથે વાત કરતાં વચ્ચે ત્વં એ એક પુલનું કાર્ય કરે છે. અને તત્ એટલે બ્રહ્મ સુધી પહોંચાડે છે.ટુંકમાં કહીએ તો સોઙહં તે હું છું નું ત્વમ્ – તું માં રૂપાંતરિકરણ ગુરુ શિષ્ય વચ્ચેનું વ્યકિત – વ્યકિત વચ્ચેનું પરસ્પર દેવો ભવ નું તાદશીકરણ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

દત્તપ્રભુએ પોતે જંભનો વધ કેમ ના કર્યો

દત્તપ્રભુએ પોતે જંભનો વધ કેમ ના કર્યો તેનુ કારણ નીચે મુજબ છે.

કશ્યપ રૂષિની એક પત્ની અદિતી ધર્મના નિયમ પ્રમાણે વર્તન કરતી જયારે બીજી પત્ની દિતિ સંધ્યા સમયે કામ વિકારથી વશ થઈ ગૃહસ્થામનું કામ સુખ ભોગવવા જીદ કરે છે રૂષિએ અનેક સમજ આપી કે સંધ્યા સમયે કામ વિકારથી વશ થઈ ગ્રૃહસ્થાશ્રમનું કામ સુખ ભોગવવા જીદ કરે છે રૂષિએ અનેક સમજ આપી કે સંધ્યા સમયે દેવો, ગંર્ધવો કિન્નરો અને સિધ્ધ મહાત્માઓ હવામાનમાં હાજર થઈ સાત્વિક કર્મ કરનારાને આશિર્વાદ આપતા હોય છે અને અન્ય કર્મ ખાસ કરીને કુકર્મ કરનાર તરફ નારાજગી દર્શાવી શાપ આપતા હોય છે તારી જીદ તું છોડી દે નહીં તો શાપ વસ વિનાશકારી જીવો ( રાક્ષસો ) નો જન્મ થાય. પરંતુ સ્ત્રી હઠ તલપુર પણ નમવા તૈયાર નથી. પરિણામે રૂષિનું તપોબળ વિકૃત થઈને સિધ્ધ તપસ્વિ પરંતુ તામસી રાક્ષસ તરીકે અવતરે છે આવા દિતિ સુતો ( પુત્રો ) નો વંશ રાક્ષસ વંશ થયો આ વંશમાં જંભનો જન્મ થયો. તેના નેતૃત્વ હેઠળ ત્રાસવાદી રાક્ષસોનું એક અને ફકત એજ ધ્યેય હતું કે વિવિધ રચનાત્મક ધ્યેયવાળા દેવો અને બ્રાહ્મણોને મારવા તેમને હરાવી તેમનાં સ્થાનો પચાવી પાડવા પરાજિત દેવોને મેરુ ગુફામાં સંતાવાનો વખત આવ્યો. દેવોનઘ ગુરુ બૃહસ્પતિએ દેવેંદ્રને બધા દેવો સાથે શ્રી દત્તને શરણે જવા સલાહ આપી. ઈંદ્ર સહિત દેવો શ્રી દત્ત પાસે આવે છે.પ્રથમ તબકકે જ શ્રી દત્ત સુંદરી લીલા કસોટીથી દેવો હતાશ થાય છે. શ્રી દત્ત પણ કોઈ દાદ આપતા નથી. પરંતુ ઇંદ્રાદિ દેવોના ગુરુ પરત્વેના પ્રમાસ્પદ વિશ્વાસે તેમને શ્રી દત્તનું શરણું નહીં છોડવા પ્રેર્યા. શ્રી દત્ત આખરે દેવોનું આવવાનું કારણ પૂછે છે.દેવો તે જણાવે છે ત્યારે પણ શ્રી દણ્ત શરણાગતિની કક્ષા તપાસતા કહે છે તમો રસ્તો ભૂલ્યા છો. આ મારી નગ્ન સ્ત્રીનું એઠુંખાઈ પીને હું ભ્રષ્ટ થયો છું. મારા જેવો સંગથી પતન થયેલ બેહાલ તમારી હાલત શું સુધારવાનો ? દેવોને સમજાવ્યું કે આવતા બરોબર આપણે શંકા ઉઠેલી અને હતાશ થયેલા તે આપણા વિચારોનો પડઘો અંતર્યામી શ્રી દત્તે આપ્યો છે. હવે ગુરુ બૃહસ્પતિએ આપેલી શ્રધ્ધા દ્રઢ થતાં દેવો જણાવે છે જે માયાવી પદાર્થો છે તે ઉચ્છેષ્ટ ગણાય કારણ કે તે વિવેક બુધ્ધિ બગાડે છે તેથી સર્વ જીવો તે ભોગવી ભ્રષ્ટ ગણાય પરંતુ તમો તો સંગમાં પણ અસંગ, અખંડ અનાસકત, શિવ સ્વરૂપ છો. તમારા સંગમાં આવનાર નિષ્પાપ બની જાય છે. હવે શ્રી દત્ત જણાવે છે કે તમો જાવ અને જંભ સાથે યુધ્ધ કરી તેને આ બાજુ લઈ આવો. ઇંદ્ર યુધ્ધ કરવા દેવો સાથે ઉપડે છે. જંભના મારથી ત્રાહીમામ પોકારી ઇંદ્ર શ્રી દત્ત પાસે આવે છે. જંભ અને તેના રાક્ષસ સેનાપતિઓ પીછો કરે છે. રાક્ષસો શ્રી દત્ત પાસેની સંદરી અને તેનું સંગીન જોઈ સાંભળી આંખ અને કાનની ઇંદ્રિઓ દ્વારા ઘાયલ થાય છે. તેઓ વિવેક બુધ્ધિ ખોઈ બેસવાના પતનના પગથિયા પર પ્રયાણ કરે છે. વિવેક અને બુધ્ધિ વિસારે પડે ત્યારે ધ્યેય રવાડે ચઢે છે. દેવો સાથેના યુધ્ધનું ધ્યેય રવાડે ચઢતા જંભ તથા તેના સાગરિતો શ્રી દત્ત પાસે રહેલ સુંદરીની સુંદરતામાં ડૂબી જાય છે.આંખ કાન દ્વારા થયેલ માયા પ્રવેશ હવે તેમની બુધ્ધિને અધમ બનાવે છે. જંભ રાક્ષસ શ્રી દત્તની માયાવી સુંદરીનું હરણ કરવા પાલખીમાં નાખી માથા પર લઈને સાગરિતો સાથે ચાલવા માંડે છે. જંભ તેને ભોગવવાની વાતો કરતો ચાલે છે એટલે તેના સાગરિતો જણાવે છે હમારે લીધે તું આટલું સામ્રાજય ભોગવે છે માટે હમો જ આ સુંદરીને ભોગવીશું. ભોગ અને યોગ નો તફાવત જ જંભના પતનનું કારણ બને છે. યોગ ત્યાગ તરફ દોરે છે જયારે ભોગ ઈષ્યાઁ તથા મનની નબળાઈઓનો સાથ લઈ પોતાના જ સબંધીનો ઘાત કરવાં પ્રેરે છે.આ સત્ય જંભ અને તેના સાગરિતો વચ્ચે કલહનું કારણ બને છે. શ્રી દત્ત ઇંદ્રને જણાવે છે કે મારી સુંદરી જંભના શિર પર બેઠી છે એટલે કે જંભના મનમાં તમારી સાથેના યુધ્ધને બદલે સુંદરી બેસી ગઈ છે. તે શકિત હિન થશે જ હવે તમો તેની સાથે યુધ્ધ કરી તેને સરળતાથી જીવી શકશો.દેવરાજ ઇંદ્ર તેની સાથે યુધ્ધ કરી તેનો વિનાશ કરે છે.
ઇંદ્ર સહિત દેવો શ્રી દત્ત પાસે પાછા ફરે છે. શરણાગત જો અભિમાની થાય તો તેનું પતન થાય છે.તેથી તેમને તપાસવા શ્રી દત્ત જણાવે છે કે તમે દુષ્ટ રાક્ષસો સાથે લડીને મારી સુંદરીને છોડવી લાવ્યા છો ગુરુ બૃહસ્પતિના સાન્નિધ્યે દેવોમાં આવેલી વિનમ્રતા જવાબ આપે છેઃ હે શ્રી દત્ત આપ આવુ અટપટુ બોલીને અમને અભિમાન– મોહમાં નાખો છો દુર્જયી જંભ સામે હમે અનાથ દેવો શું કરી શકીએ ? આતો આપની લીલા માત્ર છે કે આપ કર્તું અન્યથા કર્તું છતાં અકર્તું છો તેની ખાત્રી આપના વચનોથી થાય છે.
આ રીતે દત્તપ્રભુએ પોતે જંભનો વધ ના કર્યો
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

દ્વિજસ્ત્રીનો સ્નેહ જોઈને પ્રભુ એમના પુત્ર થયા એનુ વિગત

દ્વિજસ્ત્રીનો સ્નેહ જોઈને પ્રભુ એમના પુત્ર થયા એનુ વિગત નીચે મુજબ છે.
પીઠાપુર નગરમાં રાજા અને સુમતિ નામે બ્રાહ્મણ યુગલ અતિથિ સેવા કરી ધર્મચાર જાળવે. દર્શ અમાસના શ્રાધ્ધને દિવસે એક વખત અભ્યાગત રૂપે શ્રી દત્ત તેમની ભકિત જોઈ ભિક્ષા માગવા પધાર્યા. શ્રાધ્ધના બ્રાહ્મણ જમ્યા સિવાય ભિક્ષા ન અપાય તે નિયમ બાજુ પર મુકી દઈ સુમતિ સ્નેહ પૂર્વક ગંધ અક્ષતથી તેમની પૂજા કરે અને ભિક્ષા અર્પણ કરે છે.
( પ્રસન્ન થઇ દત્ત પ્રકટ થાય છે. )
શ્રી દત્તઃ– હે માઁ.તારી અતિથિ અભ્યાગત ભકિત પર પ્રસન્ન છું. હે માતા તારા મનમાં જે ઇરછા હોય તે તું જણાવ. માગી લે.
સુમતિઃ— પ્રભુ, મને ઘણાં પુત્રો થયા અને મૃત્યુ પામ્યા. બે પુત્રો જીવ્યા તે આંધળા અને પાંગળા છે. માતા કહી મને બોલાવી છે તો તમારા જેવો જ્ઞાનવાન, તેજસ્વિ, જગતવંધ પુત્ર આપી મારુ માતૃત્વ સાર્થક કરો.
શ્રી દત્તઃ–તથાસ્તુ મારા જેવો જ વિખ્યાત, કુલ તારક, દારિદ્રનો નાશ કરનાર પુત્ર થશે. તેના વચનોને અનુકુલ થશો તો તે રહેશે.
( શ્રી દત્ત આશીર્વાદ આપે છૂ. અનૂ અદશ્ય થાય છે. પતિ પ્રવેલે છે )
સુમતિઃ— ( પતિને ) આપ તો બહાર ગયા હતા પરંતુ માફ કરજો શ્રાધ્ધ પેહલાંકોઈને ભિક્ષા ન અપાય તે નિયમનો ત્યાગ કરી મેં એક અતિથિને ભિક્ષા આપી. તેઓ શ્રી દત્ત સ્વરૂપે પ્રકટ થયાં. પુત્રવતીનું વરદાન આપ્યું અને અદશ્ય થઈ ગયા.
રાજાઃ– વાહ દેવી ! જેમને અર્પણ કરવું જોઈએ તેમને તે અર્પણ કર્યું છે. મારાપિતૃઓ તરી ગયા. તારા માત પિતાને ધન્ય છે.
નિરંજનઃ– પછી શું થયું ગુરુદેવ
અલખઃ– ભાદરવા સુદ ચોથને દિવસે શ્રી દત્ત આવતારનું પ્રાકટય થયું. તેના પગના તળિયામાં વજ્ર, અંકુશ અને કમળના ચિન્હો હતા. તેમનું નામ શ્રી પાદ રાખવામાં આવ્યું. ( પારણું ઝુલાવવામાં આવે છે. ગામના સ્ત્રી પુરુષો તેમના દર્શન કરી શાંતિ, આનંદ અનુભવે છે )
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

આ રીતે દ્વિજસ્ત્રીનો સ્નેહ જોઈને પ્રભુ એમના પુત્ર થયા

👏👏👏👏👏👏👏👏

ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

પૂજય રંગ અવધૂતજીની દ્રષ્ટિથી દિગંબર શબ્દનો અર્થ

પૂજય રંગ અવધૂતજીની દ્રષ્ટિથી દિગંબર શબ્દનો અર્થ નીચે મુજબ છે.
દિગંબર એટલે દિશાઓનું અંબર એ વ્યુત્પતિ પ્રમાણે વસ્ત્રની માફક દિશાઓને ઢાંકનાર એટલેકે પિંડ અને બ્રહ્માંડની બહાર પણ વ્યાપીને રેહનાર. અને દિશા અંબર છે જેનું એ વ્યાખ્યા પ્રમાણે દિશારૂપી વસ્ત્રની અંદર રહેનાર આમ દિગંબર એટલે બ્રહ્માંડને અંદર બહાર વ્યાપીને રહેનાર
અત્યતિષ્ઠત્ દશાંગુલમ્ એવું નિત્ય, નિર્ગુંણ પરમ તત્વ પરમાત્માં.
પૂજય રંગ અવધૂતજીની દ્રષ્ટિથી દિંગંબર શબ્દનો આ અર્થ થાય છે
👏👏👏👏👏👏👏👏

ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

અર્જુને વરદાનમાં શું માંગ્યું હતું

અર્જુને વરદાનમાં જે માંગ્યું હતું તે નીચે મુજબ છે. અને અંતે એની જે મળ્યું તે નીચે મુજબ છે.
સૂણી અર્જુન કેરો સાદ, રીઝયો પૂર્વે તુ સાક્ષાત્
રીધી રિધ્ધ સિધ્ધ અપાર, અંતે મુકિત મહાપદ સાર

ચંદ્ર વંશમા હય હય કુલમાં કૃતવીર્ય નામે રાજા થયો. તેના બધાં જ પુત્રો ચ્યવન શાપથી મૃત્યુ પામ્યા. રાજા શોક મઞ્ન હતો તેવામાં બૃહસ્પતિ આવી પહોંચ્યા તેણે રવિ સપ્તમીનું અને મૈત્રયીએ અનંત વ્રત બતાવ્યું. આ વ્રતોના પ્રભાવથી તેમને ત્યાં તેમને ત્યાં અર્જુન નામે પુત્ર થાય છે. મોટો થતાં તે પિતાનું રાજ્ય ચલાવવા ના પાડતા જણાવે છે કે બીજા પ્રધાનોના ભરોસે રાજ્ય ચલાવતા તેઓ પાપ કરે તેનો ભાગીદાર રાજા થાય. યોગ્ય ન્યાય ન અપાય તો રાજા નર્કમાં જાય. ગર્ગ મુનિ તેને માહુર ગઢ શ્રી દત્તના શરણે જવા સૂચવે છે અને જણાવે છે કે તેમની આપેલી શકિતથી તે એકલે હાથે રાજય ચલાવી શકશે સાથે સાથે સલાહ આપે છે કે શ્રી દત્ત તેને હાંકી કાઢવા આકરી પરીક્ષા કરે તો તેણે સહન કરી લઇ અડગ રહવું. અર્જુન શ્રી દત્ત પાસે જાય છે. વાઘ અને ગાય સાથે રમતા એવા આશ્રમનું વાતાવરણ તેને શાંતિ, સંતોષ અને આત્માની ટાઢક આપે છે. શ્રી દત્તને પોતાની શાંતિનો ભંગ કરતા ભૌતિક વિચારો લઈ કોઈ આવે તે પસંદ ન હોવાથી પરીક્ષા કરવા શ્રીદત્ત પોતાની માયાથી ઉપજાવેલ સુંદરી સાથે અર્જુનને ચાલ્યા જવાનું મન થાય તેવું બિભત્સ વર્તન કરે છે. ગર્ગ મુનિના વચનો યાદ કરી અર્જુન ત્યાંથી ખસતો નથી. વંદન કરે છે, શરીરર પર માલીસ કરે છે, ચંદન લેપન, ફૂલ હાર કરે છે. જમવા માટે વિવિધ વસ્તુઓ લાવે છે, તેમનું એઠું જુઠુ પ્રસાદ માનિ આરોગે છે. પરીક્ષા તો વ્હાલાને અપનાવવા વ્હાલની જ થાય. પરીક્ષા આગળ વધે છે. પગ દાબતા અર્જુનને શ્રી દત્ત લાત મારે છે. તું અહીથી ચાલ્યો જા નહીં તો તારું મૃત્યુ અહીં નિશ્ચત છે. હું દુર્જન, બધુ ગમે તેવું ખાવા પીવા વાળો, નગ્ન સુંદરી સાથે રહેવા વાળો નાપાક અધમ છું. ગર્ગ મુનિને યાદ કરી અર્જુન અડગ રહે છે. પ્રણામ પ્રાર્થના કરતાં જણાવે છે કે મને મોહમાં નાખવા આવું ન બોલો તમો સર્વાત્મા, નિઃસગી, નિષ્કર્મ યોગીને દોષ કદી ન સ્પર્શી શકે કારણ કે તમો અનાસકત છો. શ્રી દત્ત, અર્જુનની શરણાગતિની પરીક્ષા બાદ જણાવે છે કે તારી સેવાથી હું પ્રસન્ન છું. ઈચ્છા હોય તે માગી લે. અર્જુન પોતાની ઈચ્છા પ્રસ્તુત કરે છે કે હું નિષ્પક્ષ, નિષ્પાપ રીતે મારે એકલે હાથે રાજય કરી શકું. ત્રણે ભુવનો પર ફરવાની મારામાં સિધ્ધિ આવે હું માહિષ્મતિ ( મહેશ્વર. મધ્ય પ્રદેશ ) રાજધાનીમાંથી ત્રણે ભુવનો પર રાજ્ય કરું. બધે જ મારી હાક વાગે. અર્જુનને બે હાથ પાછા મળે છે. શ્રી દત્ત જણાવે છે કે તારું માંગેલું તમામ તને આપું છું. હજાર હાથની તાકાત તને આપું છું આજથી તારું નામ સહસ્રાર્જુન. અર્જુન દંડવત્ પ્રાણામ કરે છે. શ્રી દત્ત માથે હાથ મૂકી આશિર્વાદ આપતા જણાવે છે. જાવ રાજયાસન સંભાળો પ્રજાને સુખી કરો. ત્રણે ભુવનોમાં સુખ શાંતિ આનંદ પ્રવર્તાવો. સહાસ્ત્રાર્જુન શરણાગત અનન્ય ભકત સખાનું બિરૂદ પામ્યો.તે મોક્ષનો સંપૂર્ણ અધિકારી હતો છતાં શ્રી દત્ત તેને કર્મમાં પ્રયોજે છે કારણ કે પૂર્વ જન્મના સંચિત કર્મો પૂરા કર્યા વગર મુકિત શકય નથી. કર્મ કર્યા વિના ઈચ્છામય સંચિત કર્મી વ્યકિત, રહી શકે જ નહીં. કાંઈ નહીં તો સારા નરસા ઈચ્છામય વિચારો કરી મનોમન કર્મ કરી તે નવું કર્મ બંધન ઉભુ કરે એટલે જ સંચિત કર્મબંધન પૂરા કરાવવા માટે ત્રણે ભુવનો પર રાજ્ય કારભાર કરવા શ્રી દત્તે અર્જુનને પ્રેર્યો. હવે સહસ્ત્રર્જુન ચક્રવર્તી રાજા બન્યો. પૂર્વ જન્મના પુણ્ય યોગ હોય તો જ રજોગુણ ભોગવતા પણ સત્વગુણમાં વ્યકિત રચ્યો પચ્યો રહી શકે. બધા ભુવનોનો ચક્રવર્તિ રાજા હોવા છતાં તે અનેક યજ્ઞ યાગ કરતોઃ આતિથ્ય સત્કાર, દાન, દક્ષિણા, ગાય - બ્રાહ્મણ રક્ષણ - પૂજન તે કરતો એટલે સાત્વિક બુધ્ધિની સાત્વિક અસરે એકા એક તેની વિચાર સરણી પર કબજો જમાવ્યોઃ તે વિચારે છેઃ આટલી બધી ખટપટને અંતે મને શું પ્રાપ્તિ થઈ ? મારી સ્ત્રોઓએ તો મને જીતી લીધો છે. મને તેઓએ વાંદરાની જેમ નચાવ્યો. આ બધુ નાસ્વંત છે તેમા હું લપટાઈ ગયો અજર અમર પદ મુકિત માંગવાને બદલે આ જન્મ મરણ ના ચક્રમાં પડાય તેવું હું શ્રી દત્ત પાસે કેમ માગી બેઠો ? સ્ત્રી, પુત્ર, પરિવાર, દાસ દાસીઓ કોના થયા છે તે મારા થવાના બધું જ ક્ષણ ભંગુર છે. ગમે તેટલો બળવાન યોધ્ધો હું હોઈશ પણ દેહ તો રોગિષ્ટ થઈ અંતે સ્મશાનમાં રાખ થઈને જ આળોટવાનો છે. આ રીતે સંચિત કર્મ ઓછા થતાં તેને વૈરાગ્ય સ્ફૂરે છે તે ફરી શ્રી દત્ત પાસે આવે છે. શ્રી દત્ત વિચારે છે મોક્ષ તો કાચો પારો છે અર્જુ પચાવી શકે તેવો વૈરાગ્ય તેનામાં ઉદય પામ્યો છે કે કેમ તે જોવા પરીક્ષાનો દોર અજમાવે છે. પોતે ધ્યાનમાં આંખ બંધ કરી બેસી જાય છે. ભૂખ તરસ વેઠીને વંદન પ્રાર્થના કરતો અર્જુન શ્રી દણ્ત સાન્નિધ્યે બેસી રહે છે વિચારે છે કે હે દત્ત તમે નિજાંદની મસ્તિમાં સત, ચિત, સુખ સ્વરૂપ છો એટલે મારા જેવા જન્મ મરણ ભયથી ઘેરાયેલાનો તમને ખ્યાલ ન આવે. વાંઝણીને પ્રસૂતિ પીડાની ખબર કયાંથી હોય ? પરંતુ તમારી કૃપાથી હવે મને ભોગની લેશ માત્ર ઈરછા રહી નથી અંતર વેદના જાણનાર અંતર્યામી આંખ ખોલી વધુ પરીક્ષા લેતા કહે છે હજુ તારે શું જોઈએ છે ? ધન, કીર્તી, સિધ્ધિ જે માગે તે આપવા તૈયાર છું. આ રીતે શ્રી દત્ત, અર્જુનને આવેલ વૈરાગ્ય સ્માશાન વૈરાગ્ય છે કે સાચો તેની ખાત્રી કરવા મોક્ષમાં વિધ્ન કર્તા ધન, કીર્તી, સિધ્ધિ આપવા હાથ લંબાવે છે.સાચા સોના સ્વરૂપ સહસ્ત્રાર્જુન આ પરીક્ષામાં પાસ થાય છે છતાં શ્રી દત્ત તેના સંચિત કર્મ હજુ પૂરા કરાવવા માટે તથા ઈચ્છાના બંધનથી મુકત કરી પુનર્જન્મ ન લેવા પડે અને મુકિત સાંપડે તે ધ્યાનમાં રાખી ( 1 ) ઉપનિષદ ( 2 ) પંચ તત્વનું પંચીકરણ ( 3 ) તત્ત્મસિ મહાવાકય સમજ ( 4 ) અષ્ટાંગ યોગ જ્ઞાન ( 5 ) ધ્યાન સમાધિ જ્ઞાન ( 6 ) વ્યવહારમાં ઉપરોકત જ્ઞાનઃ ( ક ) બ્રહ્માત્મૈકય યોગ તે જ્ઞાન યોગ છે ( ખ ) દેહ ઇંદ્રિયમાં ઉદાસિન રેહવું તે યમ ( ગ ) બ્રહ્મસ્વરૂપ નિર્મળ આત્મા પરત્વે પ્રેમભાવ તે નિયમ ( ઘ ) અંતદષ્ટિ તે આસન ( ધ ) નામરૂપ માં માયા છોડવી તે રેચક પ્રાણાયામ ( ચ ) વિષયો તરફ દૂર રહેવું તે અના શકિત પ્રત્યાહાર ( છ ) પોતાના આત્મા તરફ નિષ્ઠાતે ધારણા ( જ ) હું બ્રહ્મ છું તે ધ્યાન, વિગેરે જ્ઞાનોપદેશ આપીઃ ફરી અનાસકત બનાવી રાજ્ય ધુરા સમાલવા મહિષ્મતીમાં મોકલે છે. આશિર્વાદ આપે કે હું તારામાં જ છું એવો અનુભવ કરી વિશિષ્ટ કીર્તી પ્રાપ્ત કરેલ ( પરશુરામ ) ના હાથે મુકિત મૃત્યુ થશે.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ઉપર પ્રમાણે અર્જુને વરદાન માંગ્યું હતું અને એને અંતે જે મળ્યું તેનો ઉલ્લેખ છે

👏🌹👏🌹👏🌹👏🌹

ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ગુરુએ એકી સાથે કેટલા સ્વરૂપ ધારણ કર્યા

ગુરુએ એકી સાથે આઠ સ્વરૂપ ધારણ કર્યા , અને કયારે કર્યા તે નીચે મુજબ છે.
આ કંડિકામાં પૂ. બાપજી જણાવે છે કે અરૂપે ( નિરાકાર બ્રહ્મ શકિતએ ) બહુરૂપ ધારણ કર્યું. અહી એકોડહં બહુસ્યામ હું એક છું અનેક બનવાની મારી ઈચ્છા છે.એ સિધ્ધાંતનાં અમલીકરણની સ્વરૂપ ધારણ લીલા છે. બીજી હકીકત છે કે ભકિતની પરાકાષ્ઠાવાળા હ્રદયી શિષ્યો માટે બ્રહ્મસબંધ આપવાનું ગુરુ, દ્રષ્ટિ બિંદુ રાખતા હોય છે.જગતગુરુ શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતાની માતા સમાન ઉમર ધરાવતી ગોપીઓના ભકિતભાવની ઉચી કક્ષા જોઈ તેમની સાથે રાસ રમતી વખતે જેટલી ગોપી હતી તેટલા સ્વરૂપ ધારણ કરી દરેકે દરેક ગોપીને ભકિતના પુષ્ટિમાર્ગ ( ભકિતનું પોષણ માર્ગ )અપનાવી હું એક માંથી અનેક થાઉ એ સિધ્ધાંતના આધારે દરેક ગોપીને બ્રહ્મસબંધ બાંધી કૃતાર્થ કરી હતી.
નૃસિંહ સરસ્વતી સ્વામીજી ગાળગાપુરમાં છે. દિવાળી આવી રહી છે તેમના સાતે સાત શિષ્યો જીદે ચઢયા છે કે ગુરુદેવ મારે ત્યાં દિવળી પ્રસંગે પધારે. ગામના ભકતો દિવાળી પ્રસંગે ગામમાં રહે અને અમારી ભકિતનો સ્વીકાર કરે એવી ભાવના સેવે છે. ગુરુએ સાતે શિષ્યોને વારાફરતી ખાનગીમાં કીધું કે કોઈને વાત કરતો નહી હું તારા ઘરે આવીશ. ગુરુ એકમાંથી અનેક થાઉ એ સિધ્ધાંતને કાર્યરત કરે છે.અને એક સ્વરૂપ ગામમાં રાખી બીજા સ્વરૂપોથી સાતે સાત શિષ્યોને ઘેર દિવાળી પ્રસંગે હાજર રહે છે
વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે પણ આજ રીતે ત્રણ સ્વરૂપ ધારણ કરવાની લીલા કરી હતી.( 1 ) સવાર થી સાંજ સુધી સ્વામી મહારાજ ધ્યાન સમાધીમાં બેસી રહ્યા હતા. ( 2 ) મધ્યાહ્ને બીજુ સ્વરૂપ ધારણ કરી બેલગામના ઘોંડે પંત કાલકુંદરીકર બ્રાહ્મણ ની ઘરે ભિક્ષા માગવા ગયા. ( 3 ) તેમણે ગામની બહાર ઘણાં લોકોને પ્રસાદ વ્હેંચતા દર્શન આપ્યા. આ ત્રણે જગ્યાએ જેમણે જેમણે દર્શન કર્યા, સ્વાગત ભિક્ષા આપી તથા પ્રસાદ સ્વિકાર્યો તે સર્વ ને બ્રહ્મસબંધ આપી કૃતાર્થ કર્યા આ રીતે તેમણે એકી સાથે ત્રણ સ્વરૂપ લીલા કરી.
પૂ. બાપજીએ પણ આવી સ્વરૂપ ધારણ લીલા કરી પૂ. બાપજીએ દાસકાકાને ગાડીમાં રવડી પડેલી કોર્ટ દસ્તાવેજની પોટલી યવન વેષ ધારણ કરી આપેલી. તથા મુંબઈના નર્વઝ માલિસ સ્પેશ્યાલીસ્ટ ડો. ભોંસલેને પૂ. બાપજીએ એકા એક અકોટી ( બારડોલી ) ખાતે ખૂબ લાંબુ રોકાણ કરાવ્યું. તેમની મુંબઈની એક જ પાનની દુકાનના પાન ખાવાની ટેવ. પાન ખલાસ થઈ ગયેલા એટલે સેવક ભકત ખાતર મુંબઈથી બાપજી તે જ દુકાનના પાન લાવી રોજ તેના નિવાસના ટેબલ પર હાજર કરતા. આવી અન્ય સ્વરૂપો કાર્ય કરવું એ પણ ગુરુની ભકતોને માટે અન્ય સ્વરૂપ ધારણ લીલામાં આવરી લઈ શકાય તે પણ એકમાંથી અનેક થાઉ એ સિધ્ધાંત પર જ આધારિત છે.

આ રીતે ગુરુએ એકી સાથે આઠ સ્વરૂપ ધારણ કર્યા

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

પૂ.શ્રીની હસ્તલિખિત બાવનીમાં અને આપણે બોલીએ છીએ તે દત્તબાવનીમાં ક્યા ફેરફારો થયા છે.

પૂ.શ્રીની હસ્તલિખિત બાવનીમાં અને આપણે બોલીએ છીએ તે દત્તબાવનીમાં નીચેના ત્રણ ફેરફારો છે.
( 1 ) કેમ ન સૂણે મારો સાદને બદલે કેમ સૂણે ના મારો સાદ બોલીએ છીએ
( 2 ) ખાઇ ઝાલર ને બદલે ઝાલર ખાઇ બોલીએ છીએ.
( 3 ) વેદશ્વાસે તારા નિર્ધાર ને બદલે વેદશ્વાસ તારા નિર્ધાર બોલીએ છીએ.
આપણે જે દત્તબાવની બોલીએ છીએ તે બરાબર છે. કારણ કે આ ફેરફારો પૂ. શ્રીની હાજરીમાં થયા હતા. મું. મોદીકાકાની નજર હેઠળ છપાયેલી બાવનીમાં આ ફેરફારો જોવા મળે છે. પૂ. શ્રીની અનુમતિ વગર તો મું. મોદીકાકા કોઇ ફેરફાર કરે જ નહિ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝઘડિયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત

👏🕉👏🕉👏🕉👏🕉

યદુને દત્તપ્રભુએ શું બોધ આપ્યો

યદુને દત્તપ્રભુએ નીચે પ્રમાણે બોધ આપ્યો.
કચના શાપને કારણે શુક્રચાર્ય ની પુત્રી દેવયાનીનાં લગ્ન યયાતિ નામના રાજા સાથે થયા બ્રાહ્મણની દીકરીએ ક્ષત્રિય સાથે લગ્ન કરવાં પડયાં.દેવયાની સાથે શર્મિષ્ઠાને દાસી તરીકે મોકલી હતી પણ શુક્રચાર્યે યયાતિને કહ્યું હતું કે શર્મિષ્ઠા સાથે તારે લગ્નજીવન જીવવું નહિ. દાસી તરીકે સેવા લેવી. આ શરતનું પાલન નહિ થાય તો તારે સજા ભોગવવી પડશે.
યયાતિથી દેવયાનીને બે પુત્રો થયા. એક નામ યદુ અને બીજાનું નામ તુર્વસુ. શર્મિષ્ઠાની માગણીથી યયાતિએ એનો સંગ કર્યો અને શર્મિષ્ઠાને ત્રણ પુત્રો થયા. દેવયાનીએ પિતાને ફરિયાદ કરતાં શુક્રચાર્ય એને શાપ આપ્યો કે તું ઘરડો થા યયાતિ ઘરડો થયો એટલે દેવયાનીને ખૂબ દુઃખ થયું અને પિતાને શાપનું નિવારણ કરવાની વિનંતી કરી. શુક્રચાર્યે કહ્યું કે યયાતિ એનું ઘડપણ કોઇ યુવાનને આપીને તેની યુવાની લઇ શકશે. યયાતિએ બધા પુત્રોને વાત કરી. દેવયાનીના પુત્રો તૈયાર થયા નહિ. શર્મિષ્ઠાના પુરુસ્વા નામના પુત્રે પોતાની યુવાની પિતાને આપી બદલામાં એમનું ઘડપણ લીધું.
સો વરસ ભોગવ્યા પછી યયાતિને ભોગની નશ્વરતા સમજાઇ. એણે પુરુને યુવાની આપી પોતાનું ઘડપણ પાછું લીધું અને બદલામાં એને રાજા બનાવ્યો. દાસીપુત્ર રાજા બન્યો એનાથી યદુને ખૂબ દુઃખ થયું અને તે જંગલમાં જતો રહ્યો.
જંગલમાં દત્તપ્રભુ મળ્યા. દત્તપ્રભુએ ચોવીસ ગુરુની કથા સંભળાવી જીવનનું કલ્યાણ શામાં છે તે સમજાવ્યું. યદુ નો શોક દૂર થયો.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત

🕉🕉🕉🕉🕉🕉🕉🕉